કોઈ પણ યુગની, કોઈ પણ વયની સ્ત્રી શામાટે ઍક સરખૂંજ વિચારે છે? શામાટે ઍકસરખૂંજ અનુભવે છે? શામાટે ઍકસરખી બાબતે પીડા અનુભવે છે? શામાટે ઍકસરખી વાત પર ક્રોધિત થાય છે? અને ક્રોધ વ્યક્ત કરવાની રીત પણ શામાટે ઍક્સરખિ હોય છે? કૃષ્ણ ના મનમાં પ્રશ્નો ઉધભવતા હતા …….. ઍ પોતેજ હસી પડ્યા. હવે શો અર્થ હતો આ પ્રશ્નો નો? જીવન તો જીવાય ચૂક્યું હતું. ઍમના જીવનની ત્રણ મહત્વની સ્ત્રીઓ શામાટે ઍક સરખી રીતે ઍમને વિષે સંવેદનો અનુભવતી હતી…….ઍ બધું વીચારવાનો સમય કદાચ પસાર થઈ ચૂક્યો હતો. હવે તો માત્ર ઍ સ્ત્રીઓની સ્મૃતિ સ્ત્રી…. ઍ સ્ત્રીઓ નહોતી ઍમની દ્રષ્ટી સામે અને છતાં ઍ સ્ત્રીઓની આંખો ઍમની સામે જોઈ રહી હતી. આપેક્ષાથી .. ઉત્કંતથી…. ઉપલમ્બ થી….ઉશમાથી અને આન્ગલ સ્નેહથી…. ત્રણ નદીઓનો પ્રવાહ ઍમની દ્રષ્ટી સામે સમુદ્ર તરફ વહી રહ્યો હતો અને ઍ ત્રણેય નદીઓમાં તરવરી રહેલાં આજવાળાનાં ઉંચા-નીચાં થતાં કિરણો અસ્પષ્ટ રેખાઓ થી ઍ ત્રણેય સ્ત્રીઓની મુખરેખાઓ ચિતરી રહ્યાં હતાં. ઍ ત્રણેય સ્ત્રીઓ, પ્રીયતમા…… પત્ની…… અન સખી…. કલકલ કરતા પ્રવાહ સાથે વહેતી વહેતી કૃષ્ણને કહી રહી હતી. અમારું સાર્થક્ય તો તમારામાં વિલીન થઈનેજ બને છે….. તમારી ખારાશ અમને સ્વીકાર્ય છે, કારણ કે તમે અમને વિશાળતા આપી છે.અમર્યાદ ફેલાતા રેહવાનો ઍ અસ્તિત્વ બોધ તમે આપ્યો છે. અમને…. અમારા પ્રખર તેજને જીરવિને અમને શીતળતા આપી છે તમે….. અમારા સ્ત્રીત્વને સન્માનિ ને સ્નેહ આપ્યો છે તમે……To buy this book please Click http://www.gujaratibooks.com/store/product.php?productid=9164 |
Related posts:

