| શૈશવ માનવજીવનનો મહામૂલો તબક્કો છે. જે તબક્કાની પ્રત્યેક ક્ષણ નવું-નવું જોવા-જાનવાની જિજ્ઞાસાથી ભરી હોય છે. બાલકના જન્મની સાથે જ પરીકથાનો પ્રારંભ થાય છે. બાળકને હાલરડાં ગાઇને સુવસડાવી શકાય છે પણ જાગે ત્યારે ? મુંઝવતો સવાલ એ જાગે ત્યારથી થાય છે. બાળકમાત્રને વાર્તા ગમે છે. રડતા બાળકને ચૂપ કરવા તેને વાર્તાથી જ રીઝવવામા6 આવે છે. આમ વાર્તા એ એક અક્ષયપાત્ર બની જાય છે અને એમાં નવા પરિપ્રેવ્ય ઉમેરતા જાય છે. બાળકને જુની ચિરપરિચિત વાર્તાઓમાં અને ભાષામાં પણ પરિવર્તન જરૂરી છે. બાળકો વાર્તાની દુનિયામાં ખોવાઇ જાય છે. બાળકો હસતાં, કૂદતાં, રમત રમતમાં વાર્તાકાર સાથે જુદા જુદા રસનો સ્વાદ ચાખે છે. લોકવાર્તાઓ-વાર્તાની કોઇ એક વ્યક્તિના ભેજાની નીપજ નથી. સૈકાઓથી પ્રચલિત લોકકથાછે, એમાં માનવજાતનું સૈકાઓનું ચિરંજીવ ડહાપણ સંઘરાયેલું છે. પરીની વાર્તાઓ આપણે મન ભલે કાલ્પનિક પાત્ર રહ્યું, પણ બાળક પરીઓની દુનિયામાં વિહરે છે. બધું ભૂલીને પરીઓ સાથે હરે છે, ફરે છે, નાચે છે, કૂદે છે અને ક્યારેક તો રિસામણા અને મનામણા રમત પણ ચાલે છે ! ‘પરીઓની વાર્તાઓ’ નાનાં બાળકોને જરૂરથી પરીઓના દેશમાં લઇ જશે. ત્યાં તેઓ ધીંગામસ્તી કરતાં રમશે, ભમશે અને પરીઓ સાથે ખૂબ આનંદ કરશે ! |
Related posts:

